Pages

Sunday, 2 October 2016

ડો. વિક્રમ સારાભાઈ

જે માણસ ભારે કોલાહલ અને ઘોંઘાટ ની વચ્ચે પણ સંગીત સાંભળી શકે તે જરૂર મહાન બને છે.- ડો. વિક્રમ સારાભાઈ
(12 ઓગષ્ટ,2016)
        ~હિતેશ નરસિંગાણી

પાછલા 2-3 વર્ષ માં કોઇપણ દેશ ની અવકાશ સંશોધન કે કોઇપણ સાયન્સ રિસર્ચ સંસ્થા ન મેળવે એટલી સિદ્ધિ ઓ ભારત ની અવકાશ સંશોધન સંસ્થા એટલે ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન-(ઇસરો) એ મેળવી છે.આજ ઇસરો ના સ્થાપક ડો. વિક્રમ સારાભાઈ નો આજે  જન્મ દીવસ  છે. 
સવાર નો ટીવી જોઉ છું આમના વિશે કાંઇ જોયું કે સાંભળ્યું નહીં નહીં કે ક્યાંય સોશિયલ મીડિયા માં,
એટ્લે થયુ થયુ ચાલો આપણે જાતે જ થોડા ખાંખાખોળા કરીએ અને કાંઇક વિશેષ જાણકારી મળે તો ટપકાવી એ....
તો ચાલો આજે યાદ કરીએ એ ગુજ્જુ ને  
ડો. વિક્રમ અંબાલાલ સારાભાઈ 
(12 ઓગષ્ટ 1919 થી 30 ડિસેમ્બર 1971)

નાનપણ માં સ્કુલ માં હતો તયારે એક પ્રસંગ ભણવામાં આવતો અરે પેલો ટપાલ વાળો જ યાર....
નાના વિક્રમ સારાભાઈ ના ઘરે એમનાં પીતાજી ના નામ ની ટપાલો આવતી હોય છે આ જોઇને આપણાં એ ગુજ્જુ બાળક વિક્રમ ને પણ થાય છે ઘર માં બધાં ના નામે ટપાલ આવે મારા નામે કેમ નહીં ..

 બસ નાનપણ થિ આવા કુતુહલ થાય એવો જીવ હોય તોજ ડો. વિક્રમ સારાભાઈ થવાય...
અમદાવાદ માં ગર્ભશ્રીમંત પરિવાર માં જન્મેલા વિક્રમ સારાભાઈ એ હાઇસ્કુલ સુધી નું શિક્ષણ અમદાવાદ માંજ પુરુ કર્યું હતુ અને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા ત્યાં માત્ર 20 વર્ષ ની ઉંમરે સાયન્સ ગ્રેજ્યુએટ થયાં... અને પાછા ભારત આવ્યા.

તાજેતર માં ભારત સરકારે દેશ ની ટોપ 100 યુનિવર્સીટી નું લિસ્ટ બાર પાડ્યું એમાં ટોચ ની યુનિવર્સીટી એટ્લે બેંગ્લોર ની "ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ" ત્યાર ની પણ ભારત ની સર્વશ્રેષ્ઠ સંસ્થા ગણાતી જેમાં તેઓ જોડાયા અને ભારત નાં નોબલ પુરસ્કાર વિજેતા વૈજ્ઞાનિક સી. વી. રામન ની નીચે રહી ને ફીઝીકસ ના પાઠ શીખ્યા ત્યાર બાદ ફરી તેઓ ઇંગ્લેન્ડ ગયા અને કેમ્બ્રિજ યુનિવર્સીટી માંથી ફીઝીકસ માં પી.એચ.ડી. ની પદવી મેળવી. તો આ હતી વિક્રમ સારાભાઈ માંથી ડો. વિક્રમ સારાભાઈ બનવા સુધી ની ટૂંકી સફર.

આ એ સમય હતો જ્યારે દેશ ની અંદર આઝાદી ની લડાઈ પૂર જોશ માં ચાલુ હતી.અંગ્રેજો સત્તા પર હતા. ગુજરાતી ઉદ્યોગપતી નો દિકરો આવડો મોટો વૈજ્ઞાનિક બનશે એવું કોઇએ વિચાર્યું ય નહીં હોય....
માત્ર 28/29 વર્ષ ની ઉંમરે  એમણે વતન અમદાવાદ માં પી.આર.એલ ની સ્થાપના કરી બસ આતો શરૂઆત હતી ત્યાર પછી તો આ વૈજ્ઞાનિક ફીઝીકસ અને અવકાશ વિજ્ઞાન માં અનેક શોધ-સંશોધનો કર્યા પાકો આંકડો તો ખબર નથી (અને મને ગુગલ પર વિશ્વાસ નથી 😀) પોણો સો જેટલા અવકાશ ક્ષેત્રે રિસર્ચ પેપર એમણે રજુ કર્યા હતાં. અને ચાલીસ જેટલી વિજ્ઞાન નું શિક્ષણ આપતી અને વિજ્ઞાન સંશોધન માટે ની સંસ્થા ઓની સ્થાપના  પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એમણે કરી હતી. શોધ સંશોધન તો શુ એ સમયે દેશ માં શિક્ષણ નું પ્રમાણ પણ  દશ-વીસ ટકા જેટલું જ હતું. ત્યાં વિજ્ઞાન અને ટેક્નોલોજી ની શું વાત કરવી પરન્તુ એ સમયે ભારત માં વિજ્ઞાન ક્ષેત્રે સ્થાપેલી સંસ્થાઓએ એ ખોટ પુરી કરી.

ભારત ની પ્રથમ નંબર ની ને જો હું ખોટો ન હોઉં તો એશિયા ની બીજા નંબર ની મેનેજમેન્ટ નું શિક્ષણ આપતી અમદાવાદ ની ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ મેનેજમેન્ટ-અમદાવાદ(IIMA)  ની સ્થાપના માં તેઓ નિમિત્ત બન્યાં હતાં. 
 ભારત હજુ તો વિકાસ કોને કહેવાય એ ખબર નહોતી પ્રાથમિક સમસ્યા ઓ હજુ ઉકેલાઈ ન્હોતી એ સમય માં અવકાશ સંશોધન માટે તેમણે  વડાપ્રધાન નહેરુ ને રાજી કર્યા હતાં અને તેમણે ઇસરો ની સ્થાપના કરી અને તેનાં અધ્યક્ષ બન્યાં આ તેમની સૌથી મોટી સિદ્ધિ કહી શકાય...
ઇસરો ની વેબસાઇટ પર થિ તેમણે ઇસરો ની સ્થાપનાં વખતે કહેલા આ શબ્દો ...

"ऐसे कुछ लोग हैं जो विकासशील राष्ट्रों में अंतरिक्ष गतिविधियों की प्रासंगिकता पर सवाल उठाते हैं। हमारे सामने उद्देश्य की कोई अस्पष्टता नहीं है। हम चंद्रमा या ग्रहों की गवेषणा या मानव सहित अंतरिक्ष-उड़ानों में आर्थिक रूप से उन्नत राष्ट्रों के साथ प्रतिस्पर्धा की कोई कल्पना नहीं कर रहें हैं।" "लेकिन हम आश्वस्त हैं कि अगर हमें राष्ट्रीय स्तर पर, और राष्ट्रों के समुदाय में कोई सार्थक भूमिका निभानीहै, तो हमें मानव और समाज की वास्तविक समस्याओं के लिए उन्नत प्रौद्योगिकियों को लागू करने में किसी सेपीछे नहीं रहना चाहिए।"

પણ ડો. વિક્રમ સારાભાઈ એ જે કલ્પી પણ ન્હોતી એવી સિદ્ધિ ઓ આજે એક પછી એક ઇસરો સર કરી રહ્યુ છે. એ માટે ઇસરો નાં વૈજ્ઞાનિકો ને સલામ કરવા જ ઘટે.


એ સમય ના એવાજ ભારતીય  અણુવિજ્ઞાન ના પિતામહ ગણાતા ડો. હોમીભાભા નું આકસ્મિક અવસાન થતા  ભારત ના એટોમિક રિસર્ચ વિભાગ નાં વડા બનાવવા માં આવ્યાં.
ભારત સરકારે એમને પદ્મભૂષણ ણે પદ્મવિભૂષણ થી સન્માનિત કર્યા હતાં.
તેમનાં પત્ની મૃણાલિની સારા ભાઈ જેમનું હમણાં તાજેતર માંજ અવસાન થયુ તેઓ પણ  ભારતીય શાસ્ત્રીય નૃત્ય માં પદ્મશ્રી અને પદ્મભૂષણ થી સન્માનિત છે.
જેમ મોર ના ઈંડા ચીતરવા નો પડે એ રીતે જ તેમનાં સંતાનો મલ્લિકા સારાભાઈ અને કાર્તિકેય સારાભાઈ અનુક્રમે અલગ અલગ ક્ષેત્રો માં પદ્મવિ ભૂષણ અને પદ્મશ્રી થિ સન્માનિત છે.
જીનકો ભારત કા બચ્ચા બચ્ચા જનતા હૈ એવાં વૈજ્ઞાનિક ડો. અબ્દુલ કલામ પણ ડો. વિક્રમ સારાભાઈ  નીચે કામ કરવામાં પોતાનુ સૌભાગ્ય સમજતા .
તેમનાં જ પ્રયત્નો થકી ભારત એ 1975 માં પોતાનો પહેલો ઉપગ્રહ આર્યભટ્ટ અવકાશ માં તરતો મુક્યો હતો પરન્તુ આ જોવા માટે તેઓ હયાત ન હતાં. 
 પોતાનું આખું જીવન વિજ્ઞાન અને દેશ ને સમર્પિત કરનાર ડો. વિક્રમ સારાભાઈ નું ઇસ 1971 ની 30 મી ડિસેમ્બર નાં રોજ તેમનુ અવસાન થયુ.

#આવતા_જતાં#
માત્ર 52 વર્ષ નાં ટૂંકા જીવનકાળ માં આટલી સિદ્ધિ ઓ મેળવનાર વિશે જાણી ને છેલ્લે  રાજેશ ખન્ના ની આનંદ  નો આ ડાયલોગ તો યાદ કરવો જ પડે...
"જીંદગી બડી હૉની ચાહિયે લંબી નહીં બાબુ મૉશાય......"

~હિતેશ નરસિઁગાણી

ગાંધી જયંતિ ની ઉજવણી માં શાસ્ત્રીજી ભુલાઈ ગયા


(2 ઓક્ટોબર 2016)
*~હિતેશ નરસિંગાણી*


અત્યાર સુધી હું એમ માનતો કે સરદાર, નહેરુ, સુભાષબાબુ, વીર સાવરકર, ભગત સિંહ, ડો. આંબેડકર આ બધાં નામો પર રાજકારણ રમાય છે કે ભૂતકાળ માં રમાયું છે. પરંતુ ગાંધીજી એમાં ક્યાંય દુર દુર સુધી નથી. ચલણી નોટ માં ભલે એમનો ફોટો હોય પણ ગાંધી ના નામ પર રાજકારણ થોડા રમાય...?
પણ આ મારો અત્યાર સુધી નો સૌથી મોટો ભ્રમ હતો.
ખૈર, આજે ઉપર આપ્યાં એ બધાં નામો ની સાથે સ્વાતંત્ર્ય સંગ્રામ માં જેમનું નામ લઇ શકાય અને આ બધાં થી અલગ જેમના નામ સુધી હજી ગંદા રાજકારણ ના ડોળા નથી પડ્યા એવાં વ્યક્તિત્વ ની વાત કરવી છે.
આજે ગાંધી જયંતિ માં શાસ્ત્રીજી નો જન્મદિવસ છે ભુલાઈ ગયું.હા આજે સ્વચ્છતા અભિયાન ની મોદી સાહેબ ની જાહેરાત માં ગાંધીજી ની પાસે શાસ્ત્રીજી ના નાનકડા ફોટા સિવાય છાપા, ટીવી કે સોશિયલ મીડિયા પર કાંઇ ખાસ આમના વિશે નું જોવા મળ્યું નહીં. બાકી લાલ બહાદુર શાસ્ત્રી જેવા વ્યક્તિત્વ નાં જન્મદિવસ પર એમની સાદગી, ઈમાનદારી, કર્તવ્યનિષ્ઠા, દેશ પ્રેમ, સ્વાભિમાન જેવા ગુણો વિશે લખવા માં છાપા ની પૂર્તિ ઓ ભરાઈ જાય તોય જગ્યા ઘટે.
મારે એમની બાયોગ્રાફી નથી કહેવી પણ શાસ્ત્રીજી ને ખરેખર ગાંધીજી સાથે એમની છબી માં એમની લગોલગ ફિટ બેસાડે છે. એવી એમનાં જીવન ની અમુક વસ્તુ/વાતો જે મે સાંભળી/વાંચી/જાણી છે.
એ વાતો મે અહિં લખી છે. જેનો પાકો રેફરન્સ મારી પાસે નથી જેથી કરીને ભૂલચૂક લેવીદેવી.
સાવ ગરીબ પરિવાર માં જન્મ, દોઢ વર્ષ ની ઉંમરે પિતા નું અવસાન, આઝાદી ની લડાઈ માં 17 વર્ષ ની ઉંમરે પહેલી જેલ અને સ્વાતંત્ર્ય સંગ્રામ માં સાત વખત વખત અને કુલ નવ વર્ષ નો જેલવાસ અને આઝાદી પછી ઉતર પ્રદેશ સરકાર માં મંત્રી એ સમય ની કૉંગ્રેસ માં રાષ્ટ્રીય સ્તરે સંગઠન ની કામગીરી પછી રેલ્વે મંત્રી ,ગૃહ મંત્રી અને દેશ ના જવાહરલાલ નહેરુ પછી દેશ ના બીજા વડાપ્રધાન બન્યા હતાં.વડાપ્રધાન બન્યા ના એક વર્ષ માં જ પાકિસ્તાન નું ભારતીય સીમાઓ પર આક્રમણ અને 1965 નું યુદ્ધ હજુ માંડ ત્રણ વર્ષ પહેલા ચીન નાં હાથે જે સેનાએ પછડાટ ખાધી હતી એમનાં માં નવું જોશ ભરી અને આક્રમકઃ રણનીતિ અપનાવી 1965 નાં યુદ્ધ માં લાહોર સુધી સેના ને પહોંચાડી પાકિસ્તાન ના કેટલાય પ્રદેશો જીતી ભારત ને વિજય અપાવ્યો અને ત્યારબાદ વૈશ્વિક દબાણ થી રશિયા ના તાશ્કંદ માં શાંતિ સ્થાપવા ની શરતે જીતેલા પ્રદેશો પાછા આપવા નાં દસ્તાવેજ પર સહી કર્યા ના દિવસે જ વિદેશ માં રહસ્યમય મૃત્યુ.
આમ તો ઉપર ના એક પેરેગ્રાફ માંજ એમનું આખું જીવન આવી જાય પણ એ સિવાય એમના જીવન ના એ ઘણાં બધાં પ્રસંગો જે એમને મહાન બનાવે છે. જે જાણી ને સદાય દેશ નાં દરેક નાગરિક ને એમ થાય કે કાશ આજે દરેક નેતા આમના જેવો થાય. તો ટૂંકમાં જોઈએ એમનાં જીવન ની એ પ્રેરક વાતો જે બાળકો ને ફરજીયાત સ્કુલ માં ભણાવવી જોઈએ.
*
લાલ બહાદુર જ્યારે નાના હતાં ત્યારે ગંગા નદી ની સામે પાર તેમનાં મિત્રો સાથે મેળા માં જાય છે. અને મિત્રો સાથે મેળા માંથી પાછા ફરે છે ત્યારે નદી કાંઠે આવી ને એમને ખબર પડે છે કે તેમની પાસે નાવડી માં પાછા સામે પર જવાના પૈસા નથી અને સ્વાભિમાની લાલ બહાદુર મિત્રો પાસે થિ ઉધાર પૈસા લેવાને બદલે એમને કહેછે તમે જાવ મારે હજી મેળા માં ફરવું છે. અને મિત્રો ચાલ્યા જાય પછી તેઓ કડકડતી ઠંડી માં જે ગંગાનાં ઠંડા પાણી માં લોકો પગ પણ ન ડુબાડે એ ઠંડા પાણી માં તીઓ કપડા કાઢી ને માથે મુકી નદી ના પાણી માં કૂદી પડે છે અને તરી જ આખી નદી પર કરી સામે પાર પહોચે છે.
*
1952 માં કૉંગ્રેસ ની સરકાર બન્યાં પછી તેઓ રેલમંત્રી તરીકેનો કારભાર સંભાળે છે. અને 1955 કે 56 માં એક રેલ્વે અકસ્માત માં 150 લોકો મૃત્યુ પામે છે. શાસ્ત્રી જી પોત જાહેર માં આ દોઢસો લોકો નાં મૃત્યુની નૈતિક જવાબદારી સમજી રેલ્વે મંત્રી ના પદ પર થી રાજીનામું આપી દે છે.
*
તેઓ વડાપ્રધાન હોવાં છતા તેમનુ સાવ સામાન્ય ઘર હતુ. કહેવાય છે તેમનાં ઘર માં કોઈ ભપકાદાર રાચરચીલું કે કોઈ ફર્નિચર પણ ન હતુ. માત્ર એક લાકડા નો સોફા હતો અને તેઓ પલંગ પર કે નીચે એક સાદડી પાથરી નેજ સુઈ જતા.
આવડા મોટા રાજનેતા હોવાં છતાં પણ તેમનાં ઘર માં અંદર ઉપર સુધી પાણી નો નળ ન હતો. અને તેમનાં પત્ની બહાર થી પાણી ભરી લાવતાં. આ વાત ની દિલ્હી કોર્પોરેશન ને ખબર પડતાં શાસ્ત્રી જી ને જાણ કર્યા વગર જ તાત્કાલિક તેમનાં ઘર માં ઉપર સુધી પાણી નો નળ ફિટ કરી દે છે. આ નળ ફિટ થયાં ની ખબર પડતાં જ તેઓ સીધા મ્યુનિસિપાલિટી ની ઓફિસે જાય છે અને પૂછે છે તેઓ જયાં રહે છે નાં એ વિસ્તાર માં બધાં નાં ઘરે અંદર સુધી નળ છે કે તેમને જ અં સુવિધા આપવામાં આવી છે. તયારે નકાર માં જવાબ મળતાં તેઓ તાત્કાલિક તેમનાં ઘર માંથી એ નળ ની પાઇપલાઇન ને કાઢવાનો હુકમ આપે છે.
*
એક વખત તેઓ દિલ્હી ની એક દુકાન માં પત્ની માટે સાડી ખરીદવા જાય છે. અને દુકાનદાર એમને મોંઘી મોંઘી સાડીઓ બતાવતો હોય છે. શાસ્ત્રી જી એમને કહે છે આનાથી થોડી સસ્તી બતાવ દુકાનદાર કહે છે આપ પૈસા ની ચિંતા નહીં કરો આપ ખાલી સાડી પસંદ કરો, પણ શાસ્ત્રીજી એની ભેટ નો અસ્વીકાર કરતાં કહે છે હજુ આના થીસસ્તી સાડી બતાવ મારી જેવા ગરીબ માણસ પાસે આટલા પૈસા ન હોય. દુકાનદાર એમને સસ્તી સાડી બતાવે છે છતાં પણ શાસ્ત્રી જી કહે છે હજુ આનાથી સસ્તી હોય તો બતાવ અને પછી કહે છે તારી પાસે સસ્તા માં સસ્તી સાડી હોય એમાંથી મને બતાવ અને એમાંથી એક સાડી તેઓ પસંદ કરે છે અને પૈસા આપી લઈ જાય છે.
* * *
આવાં તો ઘણાં કિસ્સાઓ છે. તેઓ વડાપ્રધાન હોવાં છતાં એટલું સાદાઈ થી જીવન જીવતાં કે તેમને ગાંધીજી નાં સાદાઈ નાં સૂત્ર નાં વારસદાર કહી શકાય. તેમની પાસે એક માત્ર કોટ હતો જે તેમને નહેરુ એ ભેટ માં આપેલો. વિદેશ પ્રવાસ વખતે કે દેશ માં જો તાત્કાલિક વિમાન પ્રવાસ કરવાનો હોય તો તેઓ ચાર્ટડ પ્લેન ને બદલે સામાન્ય ફ્લાઇટ માં ઇકોનોમી ક્લાસ ની મુસાફરી કરતાં.
ખાદી ના ઝભ્ભો અને કોટી, નીચે ધોતિયું પહેરતા અને પગ માં સ્લીપર જ પહેરતાં. તેઓ વડાપ્રધાન બન્યાં એ સમયે જ દેશ માં દુકાળ પડ્યો તયારે તેઓ તેની પત્ની ને પૂછે છે, તમે અઠવાડિયા માં એક વખત ઉપવાસ કરશો? પહેલાં ઘર નાં સભ્યો ને ઉપવાસ કરાવી ને દુકાળ વખતે આખા દેશ ને અઠવાડિયા માં એક ઉપવાસ કરવાની અપીલ કરે છે. અને એ સમયે એ ઉપવાસ ને લોકો શાસ્ત્રીજી નો સોમવાર તરીકે ઓળખવા લાગે છે. આ શાસ્ત્રીજી નો સોમવાર એટલો લોકપ્રિય બને છે કે આખા દેશ નાં 90% ઘરો માં સોમવારે ચૂલા સળગતા નથી. અને દેશ નું હજારો ટન અનાજ આમ તેઓ બચાવે છે.
65 માં જ્યારે પાકિસ્તાન કચ્છ બોર્ડર પર હુમલો કરે છે .ત્યારે જે દેશ ની સેનાએ ત્રણ વર્ષ પહેલા ચીન સામે હાર નો સામનો કર્યો હતો. એવાં સમયે જય જવાન જય કિસાન" નું દેશ ને સૂત્ર આપી જવાનો નું મનોબળ વધારે છે. અને સેનાને છૂટો દોર આપી પોતાની આક્રમકઃ નીતિ થી 65 નાં યુદ્ધ માં જીત આપવે છે. "જય જવાન જય કિસાન" યુદ્ધ વખતે દેશ ની નબળી આર્થિક પરીસ્તિથિ માં પોતાનાં બધાં ખર્ચા પાર કાપ મુકી દે છે. એવું ક્યાંક સાંભળ્યું છે કે એ વખતે તીઓ એટલી કરકસર કરતાં કે તેમનુ ધોતિયું ફાટી જાય છે ત્યારે નવું લેતાં નથી અને પત્ની પાસે સીવડાવી ને પેરે છે. પોતાનો વડાપ્રધાન તરીકે નો પગાર પણ લેતા નથી.
1942 માં હિંદ છોડો ચળવળ વખતે ગાંધીજી જ્યારે 'કરો યા મરો' નું સૂત્ર આપે છે ત્યારે શાસ્ત્રીજી ગાંધી નાં આંદોલન માંજ પોતે અહિંસા વાદી હોવાં છતા "મરો નહીં મારો" એવું કહેનાર, પોતાના દરેક પ્રવાસ માં પત્ની ને સાથે રાખનાર, પોતાના અંતિમ પ્રવાસમાં પત્ની સાથે જતાં નથી,લાલ બહાદુર શાસ્ત્રીજી શાંતિ મંત્રણા નાં નામે વિદેશ ની ધરતી પર જાય અને ભારતે જીતેલા પ્રદેશો પાછા આપી દે અને પછી ના અમુક કલાકો માંજ એમનું હાર્ટ એટેક થી મૃત્યુ થાય એ વાત હજમ ન થાય અને ન જ થવી જોઈએ.
ખૈર, આજ ના દિવસે આ સાદાઈ નાં પર્યાય એવાં મહામાનવ ને વંદન કરીએ.
શાસ્ત્રીજી તેમનાં પરિવાર સાથે
આવતાં_જતા
लालों में वह लाल बहादुर,

भारत माता का वह प्यारा।
कष्ट अनेकों सहकर जिसने,
निज जीवन का रूप संवारा।

तपा तपा श्रम की ज्वाला में,

उस साधक ने अपना जीवन।
बना लिया सच्चे अर्थों में,
निर्मल तथा कांतिमय कुंदन।

सच्चरित्र औ' त्याग-मूर्ति था,

नहीं चाहता था आडम्बर।
निर्धनता उसने देखी थी,
दया दिखाता था निर्धन पर।

नहीं युद्ध से घबराता था,

विश्व-शांति का वह दीवाना।
इसी शांति की बलवेदी पर,
उसे ज्ञात था मर-मिट जाना।
-डा राणा प्रताप सिंह गन्नौरी

Thursday, 22 September 2016

માનસિક શાંતિ માટેના ઉપાયો.


જમવુ તો *માં બાપ* ભેગુ પછી ભલે *ઝેર* હોય - અનેરહેવું તો *ભાઈઓ* ભેગુ.... પછી ભલે *વેર* હોય...

*સાવરણી* બાધેંલી હોય ત્યારે *કચરો* સાફ કરે છે- પરંતુ*છૂટી* પડી જાય ત્યારે ખૂદ *કચરો* બની જાય છે.- માટે *પરિવાર*થી *બંધાયેલા* રહો....

આપણને ઓછું મળ્યું છે - એ આપણું દુ:ખ નથી,- પણ જે મળ્યું એ આપણને ઓછું લાગી રહ્યું છે - એ આપણું દુ:ખ છે.

મંગળમાં જીવન છે કે નહીં, એની ચિંતા પછી કરજો. - પહેલા જીવનમાં મંગળ છે કે નહીં, એ તો તપાસી લો !

રામ-રાવણ, બંને તુલા રાશિના છતાં ગમે તો રામ જ ને? પૈસા-પરમાત્મા, બંને કન્યા રાશિના, - પરમાત્મા જ ગમે એ નક્કી ખરું ?

ક્ષમા, ભૂતકાળને ભલે બદલતી નથી પણ ભવિષ્યને ઉજ્જવળ તો બનાવી જ દે છે.

રોજ એકાદ નવો મિત્ર બનાવતા જવું અને એકાદ જૂના દુશ્મનને ઓછા કરતા જવું એ તો આલોક - પરલોક બંને માટે લાભદાયક પણ છે અને ફાયદાકારક પણ છે...

જ્યાંરે દિવાલો માં તિરાડો પડે છે. ત્યાંરે દિવાલો પડી જાય છે. અને જ્યાંરે સંબધો માં તિરાડો પડે છે. ત્યાંરે દિવાલો બની જાય છે.

બધા દિવસો 'સારા' નહી મળે પણ દરેક દિવસમાં 'સારું' કંઇકતો મળશે જ...

મારા આપેલા બે રૂપિયાનો ભિખારીએ દુરુપયોગ ન જ કરવો જોઈએ એવો મારો સતત આગ્રહ રહે જ છે......જોકે પ્રભુ તરફથી મને મળેલ શરીરનો,
સંપતિનો, શબ્દોનો અને સમયનો હું બેફામ, દુરુપયોગ કરી રહ્યો છું પણ એ વાત અહી યાદ રાખવી એ અસ્થાને છે એમ હું માનું છું.......


પ્રભુને આપણે સંભળાવ્યું તો ઘણું. પ્રભુનુ સાંભળ્યું કેટલું ?

આપણને મળી રહેલ પ્રકાશ આડે આપણે ખુદ ઊભા રહી જઇએ તો આપણને આપણા પડછાયા સિવાય બીજું શુ દેખાય ?
આપ-ધાતમાં માણસ મરી જાય છે પણ ગર્ભ-પાતમાં તો માણસાઇ જ મરી જાય છે.

જીવનમાં કડક રહેવાની નહીં, તકલીફોમાં અડગ રહેવાની જરુર છે.

રાત્રિનો અંધકાર તો પ્રકાશ તરફ જ ચાલતો હોય છે; પરંતુ અહંકારનો અંધકાર તો વિનાશ તરફ જ ચાલતો હોય છે.

*******************
પારકી પંચાત કરશો નહી. - તમામ પરિસ્થિતિ મા શાંત રહેજો. - કડવા ઘુટડા ગળી જજો.- કદી જીવ બાળશો નહી.


તમારા કામકાજના વખાણ બીજા કરે એવું ઝંખશો નહી._ કોઈની ઈર્ષા કરશો નહી. - તમે જ તમારી જાતને સુધારો.

જે અનિવાર્ય હોય તે સહન કરી લો.- તમારી ફરજ ચુકશો નહી. - નિસ્વાર્થ સેવા કરો.- સારા-નરસા નો વિવેક કરતાં શીખો.
જરૂરિયાત ઘટાડો.- કરવા યોગ્ય જ કામ કરો.- ખંતપૂર્વક સદ્દગુણો કેળવો.- હિંમત હારી જાઓ ત્યારે ધર્મગ્રંથોનુ ન કરો.


માગ્યા વગર સલાહ આપવા દોડી જશો નહી.- દલીલબાજી થી દૂર રહો.- બધામાં ઈશ્વર દર્શન કરો.

જીવનમાં આવતા દુખોને પણ ઈશ્વરની પ્રસાદી માની સ્વીકારી લો.

Allo

વાહ! શું એપ બનાવી છે! વધુ ઝડપ અને વધુ જીવંત 

તમે Google Assistant સાથે વાત કરી શકો છો. ગણતરીની ક્ષણોમાં જે માંગો તે હાજર..અને જે અજુગતું લાગે તો સાફ જવાબ આપી દે 

: " Sorry I can't understand " 

છેલ્લે તમે "Thank you "લખો તો એ સ્માઇલી સાથે Welcome લખવાનું ન ભૂલે. જીવંત અનુભવ અને એ પણ કોઇ પણ બ્રાઉઝરમાં કરતા વધુ ઝડપી સર્ચીંગ ....

Google છે આ એપનો નિર્માતા એટલે થોડા જ દિવસોમાં ખૂટતા-ઘટતા બધા features ઉપલબ્ધ પણ કરી શકશે.
મૂખ્ય તો એકમાં ઘણી બધી બાબતોનો સમાવેશ કરાયો છે એક જ એપમાં .
આવનાર દિવસોમાં લોકો પાસે - whatsapp અને allo એમ બન્ને વિકલ્પો રહેશેે. સૌથી મોટી વાત એ છે એ આ એપ whatsapp કે Hike. કે Facebook જેવી hard પડતી નથી પણ વધુ હળવી અનુભવાય છે. આજના બૌધ્ધિક યુગમાં હવે multipurpose app જ જરુરીયાતોને પૂર્ણ કરી શકશે.



Wednesday, 21 September 2016

ભારતીય સૈન્ય અને યુદ્ધ

અત્યારે દેશમાં ભારતીય સૈન્ય અને યુદ્ધ સંબંધિત જે ભાવનાત્મક વાતાવરણ સર્જાયું છે. આ સમયે સરહદ ઉપર, સરકારમાં અને સોશિયલ મિડીયા એમ કુલ ત્રણ જગ્યાએ તણાવપૂર્ણ માહોલ છે અને આ ત્રણેય પાંખો પોતપોતાની રીતે વ્યુહ –વાર્તાલાપ કરી રહી છે. સરહદ ઉપર જે તણાવપૂર્ણ માહોલ છે તેમાં શું થશે એ સરકાર નક્કી કરશે ત્યારે જે થવાનું હશે એ થશે.....પણ અહિંયા સોશિયલ મિડીયામાં’ય બે પક્ષો સામ-સામે આવી ગયા છે જેમાં કાળીચૌદશની રાતે તાણીને કાઢેલા અમુક મોદીનંદનો છેલ્લા ત્રણેક દિવસથી યુદ્ધ નહી કરવાના કારણો, ફાયદાઓ, બહાનાઓ, ઉદાહરણો વગેરે સમજાવીને યેનકેન પ્રકારે, સીધી કે આડકતરી રીતે, પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સરકારના કે ફેંકુના પક્ષ વાહિયાત દલીલો કરી રહ્યા છે.
.
(૧) જેમ કે યુદ્ધ થાય તો પેટ્રોલ ડિઝલના ભાવ વધશે...શું તમે ભાવવધારો સહન કરશો?
તો આટલા વર્ષોથી અને પઠાણકોટ તેમજ ગુરૂદાસપુર ના હુમલા પછી યુદ્ધ નથી થયું તો પેટ્રોલ ડિઝલ ક્યાં ૬ કે ૭ રૂપિયે મળવા લાગ્યુ??? ચાવાળાના વિદેશ પ્રવાસ માટે પેટ્રોલનો ભાવવધારો સહન કરી લઈયે છીયે તો દેશની સરહદો માટે નહી કરીયે???
...................................
(૨) યુદ્ધના હિસાબે વિજળીની અછત ઉભી થાય તો દેશને અંધારામાં રહેવું પડશે. ૧૫ વર્ષ ગુજરાત્તને અંધારામાં રાખ્યુ અને છેલ્લા અઢી વર્ષથી તમારો બાપ આખા દેશને અંધારામાં રાખી રહ્યો છે એ અંધારૂ ઓછું છે તે હવે ઈલેક્ટ્રીસીટીના અંધારાનો ડર બતાવો છો ભડવાઓ?? .........................................................................
(૩) યુદ્ધ થાય તો કરવેરા વધશે શું તમે કરવેરા નિયમિત ભરશો??
મોંઘા મોંઘા ફંક્શનો અને પૃથ્વિપ્રદક્ષિણા માટે અમે ભારતીયો છેલ્લા અઢી વર્ષથી “ગંગા સેસ” “કૃષિ સેસ” “સ્વચ્છતા સેસ” “ફલાણા સેસ” ના નામે લાખો-કરોડો રૂપિયા તો એમ પણ ચુકવીયે છીયે તો દેશની શાંતિ માટે પાંચ રૂપિયા વધારે કેમ નહી ચુકવીયે ભાઈ??
...................................................................
(૪) ફક્ત આતંકવાદી હુમલાઓ થાય ત્યારે જ દેશભક્તિનો ગ્રાફ ઉંચે ચડી જાય છે. ૨૦૧૪ ની ચુંટણી સમયે તમારો તમારા બાપનો દેશભક્તિનો ગ્રાફ ઉંચે અંતરિક્ષમાં ચડી ગયો એનું શું???
.............................................................
(૫) ઘરે ટીવી જોતા-જોતા પાકિસ્તાનના ટુકડા કરવાની સલાહ આપવાવાળાના કહેવાથી ઘરવાળી સફરજનના ટુકડા પણ કરી નથી આપતી. એમ તો તમારો બાપ પણ ઈન્ડીયા ટીવીમાં બેઠો-બેઠો જ ફાંકા નાખતો હતોને ? ત્યારે કેમ આવી બધી ફિલોસોફી યાદ ન આવી?? ઘરવાળી તો એની પણ સફરજનના ટુકડા નથી કરી આપતી તેમ છંતા એકના બદલામાં દસ માથા લાવવાની હોંશિયારી મારતો હતો ત્યારે તમારા જેવા તાણીને કાઢેલા ભક્તો ક્યાં હતા???
...........................................................
(૬) આપણી પાસે ખાલી ૨૦ દિવસ ચાલે એટલો જ દારૂગોળો છે. લ્યો બોલો તો પછી આ સત્તામાં આવ્યાને અઢી વર્ષ સુધી શું કર્યું?? દારૂગોળો નથી એ ખબર અત્યારે જ પડી??? કે પછી વિદેશ પ્રવાસમાં અને ગામ આખાને મોદુ બનાવવાની યોજનાઓમાં વ્યસ્ત હતા???
...........................................................
(૭) યુદ્ધ મફતમાં નથી થતા, શીયાસિન પર ચોકી રાખવાનો વાર્ષિક ખર્ચ પંદરસો કરોડ છે, તેમજ વિચારો કે યુદ્ધ માટે આખી આર્મી બોર્ડર પર ડિપ્લોય કરવાની થાય તો ખર્ચ ક્યાં જાય??
વાહ આર્મી નો ખર્ચો મોંઘો પડે પણ મોટા મોટા સમારંભો, જન્મદિવસ ઉજવણીનો ખર્ચો, મોંઘા ફંક્શનો, મોટા મોટા ડોમ, સંઘના મફતિયાઓને અપાતી સરકારી સુવિધા અને સુરક્ષા આ બધાનો ખર્ચો કોણ તમારો બાપ આપે છે???
......................................................................
(૮) વિદેશનીતિથી માંડીને યુદ્ધમોરચા પરની એક – એક ચાલ વિચારીને ચાલવી પડે, આંધળુકીયા કરવાથી કોઈ ફાયદો નથી. અલ્યા હરામખોરો અત્યારે આટલી બધી અક્કલ આવી ગઈ છે પણ જ્યારે મંચ – માઈક અને મેદની હાથમાં આવી જાય ત્યારે એકના બદલે દસ માથા અને લવ-લેટર વગેરે હોંશિંયારી મારતો હતો ત્યારે એના ભાષણ સાંભળીને હિઝડાની તાળીયો કેમ પાડતા હતા??? પાકિસ્તાનને એની ભાષામાં જવાબ આપવો જોઈયે એવું જ્યારે બોલ્યો ત્યારે તમને ડફોળોને ખબર પડતી ન હતી કે યુદ્ધમોરચા પર અને વિદેશનીતિ પર એક-એક ચાલ વિચારીને ચાલવી પડે??? ત્યારે કેમ હોશિંયારી મારતા હતા કે ઈન્ટરનેશનલ પ્રેશર આપણે પેદા કરી શકીયે છીયે એમ.
...........................................................................................
(૯) ઉના દલિત કાંડની મુલાકાતે આવનાર બધા નેતાઓ ક્યાં છે??
ગોળી મારવી હોય તો દલિતોને નહી મને ગોળી મારજો આવું બોલવાવાળા ને શોધી લાવો એટલે બાકીના બધા નેતા ક્યાં છે એ ખબર પડી જશે.
..............................................................
(૧૦) દેશના શહિદો ઉપર રાજનિતી ન થવી જોઈયે અને સરકારને કામ કરવા માટે સમય આપવો જોઈયે અને લોકોએ સંયમ રાખવો જોઈયે
અરે તારી જાતનો ભગતડો મારૂ તારો બાપ જ્યારે મુંબઈ હુમલા વખતે પોલીસ પ્રોટેક્શનને ક્રોસ કરીને તાજ હોટલમાં ઘુસી અને બધા આતંકીને મારવા સારૂ રજનીકાંત બનવાની કોશિષ કરી રહ્યો હતો ત્યારે આવી ખબર પડતી ન હતી કે મોત ઉપર રાજનીતિ ન કરીયે અને સરકારને સમય આપીયે અને થોડોક સંયમ રાખીયે??? શું લોટા જેવાઓ હાલી જ નિકળ્યા છો......નાકમાં લબડતી લેંટ લઈને ટોપાઓ.
...........................................................
અત્યાર સુધી ચાવાળાની દરેક વાતમાં વાંદરાની જેમ કુદકા મારી અને હિઝડાની જેમ તાળીઓ પાડીને વાહવાહી કરતા હરામખોર ભક્તોને યુદ્ધ બાબતે રાતોરાત એવું જ્ઞાન આવી ગયું છે કે ન જાણે કેટકેટલુંય બ્રહ્મજ્ઞાન શોધી-શોધીને માર્કેટમાં લાવીને સોશિયલ મિડીયામાં બાયલાવેડા ફેલાવી રહ્યા છે. અને લોકોને બોર્ડર ઉપર જાવાની, સૈન્યમાં ભરતી થવાની, પોતાના બાળકો મોકલવાની સલાહો આપી રહ્યા છે તે તમામ ભક્તોને ખાસ વિનંતિ છે કે યુદ્ધ થાય કે ન થાય પણ તમને તમારા સાહેબે મોઢું તો શું પછવાડું બતાવે એવા પણ રહેવા દીધા નથી માટે છાનીમાનીના કરતા હો ઈ કરો અને સલાહ તમારી પાસે રાખો.

જીભનું ઓપરેશન કેજરીવાલે કરાવ્યુ અને બોલતી કોઈક બીજાની કેમ બંધ થઈ ગઈ?????
(ખાસ નોંધ :- ભાષાસૌજન્ય બાબતે કોઈએ માથાકૂટ કરવી નહી...હુકમથી)

જેને યુદ્ધ તાત્કાલિક જોઈએ છે

જેને યુદ્ધ તાત્કાલિક જોઈએ છે તેને 'બોર્ડર' સુધી એસી સિડાન કારમાં જવાનો ખર્ચ હું આપીશ !
કટોકટી- આ શબ્દ બંધારણમાં ક્લાસમાં ભણાવું ત્યારે પણ સ્ટુડન્ટસને સમજાવું છું કે આ શબ્દ જેટલો હળવો દેખાય છે તેટલો નથી. આ કંઈ પેટ્રોલ - મોબાઈલના રૂપિયા ખૂટ્યા અને ફ્રેન્ડ પાસેથી લઈને રોળવી લીધું એવી 'ઈમરજન્સી-કટોકટી' નથી. કરોડો રૂપિયાનો ખર્ચ અને હજારો શૈનીકોના જીવ જોખમમાં મુકવાની વાત છે. જે કોઈ પણ વ્યક્તિ/સરકાર 'યુદ્ધ' નો નિર્ણય લે તે ગમે તેટલી બેજવાબદાર હોય તો પણ શૈનીકો માટે પણ સમજીને નિર્ણય લેવો પડે.
આ હુમલાઓ થયા તે ખોટું જ થયું છે, કડક પગલા અને જરૂર પડીએ યુદ્ધની તયારી બતાવવી જ પડે પણ એ કંઈ 'તમે અને હું' કહીએ ત્યારે અને તેમ ના થાય. જનરલ માણેક શો એ ઇન્દિરાગાંધીને કહી દીધું હતું કે 'યુદ્ધ થશે તે નિર્ણય તમારો પણ ક્યારે તે નિર્ણય અમારો રહેશે' અને તેમણે તે સાચ્ચું સાબિત કરી આપ્યું હતું. યુદ્ધ પહેલાની તયારીઓ, વાતાવરણ, ભૌગોલીક પરિસ્થિતિ, આંતરરાષ્ટ્રીય પીઠબળ અને આવતા સમયની આર્થિક બાબતો... કેટલીય બાબતો જોવી પડે.
તકલીફ થઇ એ સાથે નવરાઓ ચાલુ પડી ગયા... 'કોંગ્રેસની સરકારની આ આ ભૂલોને કારણે આ પરિસ્થિતિ થઇ છે' , 'ભાજપ ૨ વર્ષથી વાતો જ કરે છે' , 'આ બધું મનમોહનસિંહના સમયમાં જ બગડ્યું હતું' , 'નરેન્દ્રમોદી ખાલી વાતો જ કરે છે' શાબ્બાશ ! તમે શું કરો છો ? વાહન જ્યાંત્યાં પાર્ક કરો છો, પાણી બગાડો છો, રસ્તા પર થૂકો છો, ટેક્સ ચોરી કરો છો, કામમાં દાંડાઈ કરો છો અને સરકારે શું કરવું તેની ફાંકા-ફોજદારી કરો છો !
અત્યારે 'યુદ્ધ જ થવું જોઈએ' એવું કહેનારા; યુદ્ધના ખર્ચને પહોંચી વળવા જે ટેક્સ આવે તેમાં પણ ચોરી કરશે અને સરકારનો વિરોધ કરશે.
અત્યારે કોંગ્રેસ-ભાજપની બુરાઈ કરવાના બદલે જે શહીદ થયા છે તેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ. વડાપ્રધાનના નેશનલ ડીફેન્સ ફંડમાં શક્ય તેટલી રકમ મોકલીએ. આવનારા દિવસો માટે તયાર રહીએ.
ભારત માતા કી જય ! વંદે માતરમ !
જય હિન્દ

Tuesday, 20 September 2016

ગુજરાતી વેપારી

એક ગુજરાતી વેપારી એ પ્રાણીસંગ્રહાલય ખોલ્યું અને ૫૦ રુ, ટિકીટ રાખી પણ કોઇ ના આવ્યું. પછી ટિકીટ ૨૫ રૂ કરી.. ૨૦ કરી.. ૧૦ કરી ....કોઇ ના આવ્યું. છેલ્લે કંટાળીને ફ્રી માં એન્ટ્રી ચાલુ કરી.. થોડી જ વાર માં બધું જ ભરાઈ ગયું.
પગ મુકવાની પણ જગ્યા નહિં... 

પછી પેલાએ સિંહ ને પાંજરામાંથી છોડ્યો અને બહાર નિકળવા માટે ૨૦૦ રૂ ટિકીટ રાખી.

નોંધ - આ ઘટનાને રિલાયેન્સ જિઓ સાથે કંઇ નિસ્બત નથી.
😀😂